ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 9. Biomolecules

ઉત્સેચકની ક્રિયાને સંબંધિત કયો વિકલ્પ સાચો નથી, તે પસંદ કરો.

  1. A ક્રિયાધારક ઉત્સેચક સાથે તેના સક્રિય સ્થાન પર બંધાય છે.
  2. B પુષ્કળ સક્સિનેટ ઉમેરવાથી મેલોનેટ દ્વારા સક્સિનિક ડિહાઈડ્રોજિનેસનું અવરોધન ઉલટાવી શકાતું નથી.
  3. C એક બિન સ્પર્ધાત્મક અવરોધક ઉત્સેચક સાથે ક્રિયાધારક બંધાતા સ્થાનથી ભિન્ન સ્થાન પર બંધાય છે.
  4. D મેલોનેટ એ સક્સિનિક ડીહાઈડ્રોજીનેઝનો સ્પર્ધાત્મક અવરોધક છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) પુષ્કળ સક્સિનેટ ઉમેરવાથી મેલોનેટ દ્વારા સક્સિનિક ડિહાઈડ્રોજિનેસનું અવરોધન ઉલટાવી શકાતું નથી.

Step-by-step Solution

Detailed explanation

(b) : મેલોનેટ દ્વારા સક્સિનેટ ડીહાઈડ્રોજીનેઝની ક્રિયાશીલતામાં ઘટાડો એ સ્પર્ધાત્મક અવરોધનનું ઉદાહરણ છે. સ્પર્ધાત્મક અવરોધન એ પ્રતિવર્તી અવરોધન છે, જ્યાં અવરોધક ઉત્સેચકના સક્રિય સ્થાન માટે સામાન્ય ક્રિયાધારક સાથે સ્પર્ધા કરે છે. એક સ્પર્ધાત્મક અવરોધક સામાન્ય રીતે સામાન્ય ક્રિયાધારક જેવો જ હોય છે અને તેથી, તે ઉત્સેચકના સક્રિય સ્થાનમાં બંધબેસે છે અને તેની સાથે બંધાય છે. હવે ઉત્સેચક ક્રિયાધારક પર ક્રિયા કરી શકતો નથી અને પ્રક્રિયા ઉત્પાદનો બનતા નથી. આથી, ઉત્સેચકની ક્રિયા ઘટી શકે છે અથવા અવરોધિત થઈ શકે છે. કારણ કે એક સ્પર્ધાત્મક અવરોધક ફક્ત અસ્થાયી રૂપે સ્થાનનો કબજો લે છે, તેથી ઉત્સેચકની ક્રિયા કાયમી ધોરણે અસરગ્રસ્ત થતી નથી. આમ, પુષ્કળ સક્સિનેટ ઉમેરવાથી મેલોનેટ દ્વારા સક્સિનિક ડીહાઈડ્રોજીનેઝનું અવરોધન ઉલટાવી શકાય છે.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app